શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા, નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા, નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી

(આઝાદ સંદેશ), જામનગર : જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓ નિંદ્રાધીન અવસ્થામાં હતા, જે દરમિયાન તેમના બાજુના રૂૂમમાં કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને તિજોરીમાંથી રૂૂપિયા 3 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 8.85 લાખની માલમતા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા હોવાથી તેની ભાળ મેળવીને મુંબઈ ભાગ્યા હોવાનું જાણવા મળતાં તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગરમાં સેન્ટ્રલ બેન્ક ઈચ્છાણી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નવનીતલાલ નવલદાસ પરમાર નામના 80 વર્ષના વૃદ્ધ કે જેઓ ગત નવમી તારીખે રાત્રિના સમયે પોતાના રૂમમાં સુતા હતા, તે દરમિયાન કોઈ તસ્કરો તેમના ઘેર ત્રાટકયા હતા, અને તેના બાજુના રૂમમાં આવેલા કબાટની તિજોરીનો લોક ખોલી નાખી અંદરથી રૂપિયા 3 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ પાંચ લાખ 85 હજારની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા.જે બનાવ અંગે નવનીત લાલ પરમારને જાણવા મળતાં તેમણે પોતાના ભાણેજ આનંદ કિરીટભાઈને પોતાના ઘેર બોલાવી લીધા હતા, અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ભાણેજ દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આસપાસના સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં ચાર વ્યક્તિઓ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો હતો, અને કેટલાક શકમંદો બાબતે તેની પૂછપરછ કરતાં ચારેય મુંબઈ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિટી એ-ડિવિઝનની પોલીસ ટુકડી મુંબઈ પહોંચી છે, અને તસ્કરોને પકડી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર