રવિવાર, જૂન 1, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છચોટીલાના ધારી ગામે પગના દુ:ખાવાની દવાના બદલે સેલફોર્સનો પાઉડર ખાઇ લેતા આધેડનું...

ચોટીલાના ધારી ગામે પગના દુ:ખાવાની દવાના બદલે સેલફોર્સનો પાઉડર ખાઇ લેતા આધેડનું મોત

વલ્લભભાઇ સોસા (ઉ.45)ને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા’તા પણ દમ તોડયો

(આઝાદ સંદેશ),રાજકોટ: ચોટીલા તાલુકાના ધારી ગામે આધેડે પોતાની વાડીમાં ઝેરી પાઉડર પી લીધો હોય જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોય પરંતુ તેનું મોત નીપજ્યું હતું. આધેડને પગમાં દુખાવો થતો હોય જેની દવા ખાવાના બદલે તેણે ભુલથી સેલફોર્સનો પાઉડર ખાઇ લેતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધારી ગામે રહેતા વલ્લભભાઇ ઉકાભાઇ સોસા (ઉ.45)એ ગઇકાલે મોડી રાત્રે પોતાની વાડીએ સેલફોર્સનો પાઉડર ખાઇ લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તેમનું મોત નીપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વલ્લભભાઇને સંતાનમાં બે દીકરા છે. તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન વલ્લભભાઇએ વાડીએ પગના દુખાવાની દવા રાખેલી હોય તે ખાવા જતા હોય પરંતુ તેના બદલે સેલફોર્સનો પાઉડર ખાઇ લેતા તેને ઝેરી અસર થતા સારવારમાં ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં જસદણનાં સાંણથલી ગામે દિપક ધનજીભાઇ સિરોયા (ઉ.વ.37) નામના પટેલ યુવાને માનસિક બિમારી અને દારુ પીવાની ટેવથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર