શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપોપટપરાના કૃષ્ણનગરમાં ડીસીબીનો દરોડો : જૂગાર રમતા 9 શખસો ઝડપાયા

પોપટપરાના કૃષ્ણનગરમાં ડીસીબીનો દરોડો : જૂગાર રમતા 9 શખસો ઝડપાયા

પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે 1.30 લાખની રોકડ કબજે કરી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ દારૂ તથા જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને ડીસીબીની ટીમે જુગાર રમતા 9 શખસોને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને અનુસરીને ડીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પ્રયત્નશીલ હોય ત્યારે ટીમના અનીલ સોનારા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણાને મળેલ સંયુક્ત બાતમીના આધારે પોપટપરામાં આવેલ કૃષ્ણનગરની શેરી નં.6માં દરોડો પાડી જુગાર રમી રહેલા મોહસીન મોટાણી (ઉ.34), માજીદ દલવાણી (ઉ.27), ગફાર સુધાગુનીયા (ઉ.54), અફઝલ ઉર્ફે સદામ દલવાણી (ઉ.34), રહીમ સૈયદ (ઉ.36), હાજી જુણેજા (ઉ.41), ચિરાગ ચૌહાણ (ઉ.27), સુલેમાન ઉર્ફે ડાડો પલેજા (ઉ.30), હીતેશ દરિયાણી (ઉ.34) સહીતનાને રૂા.1,30,600/-ની મતા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર