ચીનના રોકાણકારો અન્ય દેશોમાં રોકાણ કરવાની નવી તકો શોધી રહ્યા છે. ભારત વિશાળ બજાર અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવે છે. તેના કારણે વિદેશી રોકાણ આકર્ષી શકાય છે. વિદેશી રોકાણથી ભારતમાં મૂડી પ્રવાહ વધશે, જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરમાં જ વધ-ઘટ જોવા મળી રહી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધવા છતાં ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો ન હતો, કારણ કે ઈઝરાયેલે ઈરાનની ઓઈલ સુવિધાઓ પર હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રો, ખાસ કરીને ચીનની માગમાં નબળાઈને કારણે પણ ક્રૂડની કિંમતો પર દબાણ જળવાઈ રહ્યું છે. પ્રોબિસ સિક્યોરિટીઝના સીઆઈઓ જોનાથન બેરેટે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચીનના આર્થિક ડેટામાં નબળાઈના કારણે ઓઈલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી સંભવિત રીતે ભારતને મોટો ફાયદો થઈ શકે છે.
Read: કેનેડાનો ઘમંડ ભાંગશે, ભારત હાથ ખેંચી લેશે તો આ વસ્તુઓની થશે કમી
ભારત માટે કેટલું ફાયદાકારક?
ચીન દુનિયાનું સૌથી મોટું તેલ આયાતકાર દેશ છે અને તેની માંગમાં ઘટાડો થવાથી કાચા તેલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. તેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશોને સીધો ફાયદો થઈ શકે છે, કારણ કે ચીન બાદ ભારતનું નામ પણ ટોપ ઈમ્પોર્ટિંગ દેશોની યાદીમાં છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેલના નીચા ભાવોની અસર પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર પડશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાથી મોંઘવારીમાં ઘટાડો થઈ શકે છે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. આ ઉપરાંત ઇંધણના ભાવમાં ઘટાડાથી માલભાડા અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઇ શકે છે.
આ રીતે અસર કરે છે
ચીનની અર્થવ્યવસ્થાની મંદી વૈશ્વિક સપ્લાય ચેનને પણ બદલી શકે છે. ઘણી કંપનીઓ તેમના ઉત્પાદન કેન્દ્રોને ચીનથી બીજા દેશોમાં સ્થાનાંતરિત કરી શકે છે, અને ભારત આ માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે. મોટી વસ્તી, યુવા શ્રમબળ અને ભારતમાં રોકાણ માટે આકર્ષક નીતિઓને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધી શકે છે. તેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વેગ મળશે.
ચીનની સુસ્ત અર્થવ્યવસ્થાના કારણે ત્યાંના રોકાણકારો અન્ય દેશોમાં રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે. આ સમયે ભારત માટે સારી બાબત એ છે કે તેના મોટા બજાર અને ઝડપથી વિકસતા અર્થતંત્રને કારણે તે વિદેશી રોકાણને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. વિદેશી રોકાણથી ભારતમાં મૂડીપ્રવાહ વધશે, જે માળખાગત વિકાસ અને ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપશે. આ સાથે જ ચીનની આર્થિક મંદી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વેગ આપી શકે છે, કારણ કે ઘણી કંપનીઓ તેમનું ઉત્પાદન ચીનથી ભારતમાં શિફ્ટ કરી શકે છે.
જો કે, ચીનની મંદીના ભારતને થનારા ફાયદા સાથે કેટલાક પડકારો સંકળાયેલા છે. ચીનની ધીમી પડી રહેલી આર્થિક ગતિ વૈશ્વિક મંદીને ગતિમાન કરી શકે છે, જેની અસર ભારત પર પણ પડી શકે છે. આ ઉપરાંત ભારતને વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેઓ ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે સમાન પ્રયાસો કરી રહ્યા છે.