શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં આકાશ અંબાણીની મોટી જાહેરાત, પીએમ મોદીનું સપનું પૂરું કરવા...

ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં આકાશ અંબાણીની મોટી જાહેરાત, પીએમ મોદીનું સપનું પૂરું કરવા માટે AI જરૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૪ નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એઆઈ અત્યંત મહત્વપૂર્ણ છે.

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ ભારતના ડેટાને ભારતીય ડેટા સેન્ટરમાં રાખવાની વકાલત કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં ડેટા જનરેશનનું સ્કેલ અને ગતિ ઝડપથી વધી છે અને એઆઈ સાથે તે વધુ ઝડપથી વધશે. આથી દેશમાં AI અને મશીન લર્નિંગ ડેટા સેન્ટર સ્થાપવાની જરૂર છે અને આ માટે ભારતીય કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ. તેમણે સરકારને ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૦ ના ડ્રાફ્ટને ટૂંક સમયમાં અપડેટ કરવા પણ વિનંતી કરી. આકાશ અંબાણી દિલ્હીમાં ચાલી રહેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024માં બોલી રહ્યા હતા.

આ રીતે પૂરું થશે પીએમ મોદીનું સપનું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે એઆઈ અતિ મહત્ત્વપૂર્ણ છે. અને જીયોએ દરેક ભારતીયને એઆઇના ફાયદા પહોંચાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેમ આપણે મોબાઇલ બ્રોડબેન્ડ સાથે કર્યું હતું. અમે પોસાય તેવા ભાવે શક્તિશાળી એઆઈ મોડેલો અને સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે અમે નેશનલ એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આધાર તૈયાર કરી રહ્યા છીએ.

ભારતની શક્તિ

આકાશ અંબાણીએ પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, આજે ભારતીય મોબાઇલ કંપનીઓ અને સમૃદ્ધ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસિત દેશો સહિત ભારતનાં વિશ્વને એઆઇ સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે. સરકારે ઉદ્યોગ અને નવીનતાને આગળ ધપાવી હોવાને કારણે ભારતમાં સૌથી મોટી ડિજિટલ ક્રાંતિ આવી છે. નવા ભારતમાં બિઝનેસ સાવ બદલાઈ ગયો છે. સરકાર અને ઉદ્યોગ 145 કરોડ ભારતીયોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.

એઆઈને મજબૂત બનાવવામાં આવશે

અંબાણીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના મંચ પરથી વચન આપ્યું હતું કે, “ભારત માત્ર મોબાઇલ ઇનોવેશનમાં જ અગ્રેસર નહીં બને, પરંતુ અમે જોડાયેલા, બુદ્ધિશાળી ભવિષ્ય માટે એઆઇની શક્તિને પણ અપનાવીએ છીએ.” આનાથી રોજગારમાં પણ વધારો થશે જેમ કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટને અપનાવવાના યુગમાં બન્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર