શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ

ગુંદાવાડી વિસ્તારમાં રહેતા આડેસરા પરિવારે ઝેરી દવા ગટગટાવી લેતાં તમામને સિવિલમાં ખસેડાયા : સોની બજારમાં પેઢી ધરાવતા કેતનભાઇ આડેસરા તેમજ વિશાલભાઇ આડેસરાને મુંબઇના ચાર શખસો પાસેથી રૂ.3 કરોડ જેવી રકમ લેવાની નિકળતી હોય છતાં આપતા ન હોવાથી આર્થિક ભીંસમાં પગલું ભર્યાનું અનુમાન : એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ બનાવમાં દવા પી લેનાર તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો બનાવની જાણ થતાં ઘટનાસ્થળ અને હોસ્પિટલે દોડી ગયો છે. શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આ ઘટના સામે આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં મુંબઇના શખસો પાસેથી આસરે ત્રણેક કરોડ જેવી રકમ લેવાની બાકી હોય તેઓ આપતા ન હોવાથી આર્થિક ભીંસમાં આવી જતાં પગલુ ભર્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આપઘાતનો પ્રયાસ કરનાર વૃદ્ધ દંપતી તેમજ તેના બે પુત્રો, બે પુત્રવધૂઓ અને તેમના ત્રણ સંતાનો સહિત 9 લોકોને સિવિલમાં ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરનાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલ ગોવિંદપરા શેરી નં-2માં આજે બપોરના સમયે સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં આ વિસ્તારમાં રહેતા આડેસરા પરિવારના વૃદ્ધ દંપતી સહિત 9 વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી લેતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો.
આ બનાવમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજકોટ સોની બજારમાં પેઢી ધરાવતા કેતનભાઇ આડેસરા તેમજ વિશાલભાઇ આડેસરા નામના ભાઇઓને મુંબઇના ચાર શખસો પાસેથી આસરે રૂ. 3 કરોડ જેવી રકમ લેવાની બાકી હતી જે રકમ તેઓ આપતા ન હોવાથી તેમનો પરિવાર ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવતો હતો. જેના કારણે આજે સવારે કેતનભાઇ અને વિશાલભાઇએ પરિવારના સભ્યો સાથે આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતુ. દરમિયાન ઘરના તમામ સભ્યોએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના પગલે કેતન લલિતભાઇ આડેસરા (ઉ.વ.45), તેના પત્ની દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.43), તેમનો પુત્ર જય કેતનભાઇ આડેસરા (ઉ.વ.21), ભાઇ વિશાલ લલિતભાઇ આડેસરા (ઉ.વ.43), તેની પત્ની સંગીતાબેન વિશાલભાઇ આડેસરા (ઉ.વ.41), પિતા લલિતભાઇ વલ્લભભાઇ આડેસરા (ઉ.વ.72) તેમજ માતા મીનાબેન લલિતભાઇ આડેસરા (ઉ.વ.64), ભત્રીજો અંશ વિશાલભાઇ આડેસરા (ઉ.વ.15) અને ભત્રીજી હેતાંશી વિશાલભાઇ આડેસરા (ઉ.વ.8)ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સોની પરિવારના સંબંધીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા.
આ ઘટનાનાં પગલે રાજકોટના સોની બજારમાં દેકારો મચી ગયો હતો આ બનાવમાં એ-ડિવિઝન પોલીસ દ્વારા હાલ તેના પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ તબીબ તરફથી મંજૂરી મળ્યે આપઘાતનો પ્રયાસ કરનાર કેતનભાઇ તેમજ તેના પરિવારનું નિવેદન લેવા તજવીજ હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર