સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં શાળાઓને નોટિસ મળ્યા બાદ હવે બાળકોને નોટબુક, પાઠ્ય પુસ્તકો કોઇપણ દુકાનમાંથી...

રાજકોટમાં શાળાઓને નોટિસ મળ્યા બાદ હવે બાળકોને નોટબુક, પાઠ્ય પુસ્તકો કોઇપણ દુકાનમાંથી ખરીદી શકશે…!

વેકેશન પૂર્ણ થવા આડે હવે ફકત ચાર દિવસ જ બાકી છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ જોગ ખુલાસો જાહેર કર્યો

શાળામાં વેકેશન પડ્યુ ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી કેમ આવી જાહેરાત કે જાહેર ખુલાસો કરવામાં
ન આવ્યો…?

(આઝાદ સંદેશ), રાજકોટ : વેકેશન ખુલવાની આડે હવે ફકત ચાર જ દિવસ બાકી છે ત્યારે રાજકોટમાં મોટાભાગની ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીઓને દબાણ કરી પાઠ્ય પુસ્તક, સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ ચોક્કસ દુકાનોએથી ખરીદવાનો આદેશ કર્યા બાદ તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ શાળા વિરુદ્ધ ફરિયાદ થતાં સ્વનિર્ભર શાળાઓને નોટિસનો રેલો આવ્યો હતો અને એકાએક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અગ્રણીએ તમામ વાલીઓએ શાળાના આદેશ બાદ જ્યાંથી ફરજ પાડવામાં આવી હતી તે જગ્યાએથી પુસ્તકો ખરીદી લીધા બાદ હવે ડી.વી. મહેતાએ જાહેર યાદી મોકલી તમામ વાલીઓને સૂચના આપી છે કે, વાલીઓને જ્યાંથી પાઠ્ય પુસ્તકો, સ્કૂલ બેગ, યુનિફોર્મ વિગેરેની ખરીદી કરવી હોય ત્યાંથી જ કરી શકે છે. આ આદેશ નહીં પરંતુ શાળા તરફથી સૂચના ગણવી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલી જોગ ખુલાસા હેઠળ ડી.વી. મહેતાએ જણાવ્યું છે કે, શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફકત સૂચન જ સમજવું… આદેશ નહીં…! સ્કૂલ વેકેશન પૂર્ણ થયા બાદ ડી.વી. મહેતાએ વાલી જોગ ખુલાસો કર્યો છે પરંતુ મોટાભાગના વાલીઓએ શાળા તરફથી જે જગ્યાએથી પાઠ્ય પુસ્તકો, સ્કૂલ બેગ ખરીદવા દબાણ કરી યાદી આપી હતી ત્યાંથી જ ખરીદી લીધા છે હવે શું ? હવે વાલીઓ આવા પાઠ્ય પુસ્તકો શાળા કે ચોક્કસ જગ્યાની દુકાનને પરત આપી શકશે…?
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ખાસ માહિતી આપવામાં આવે છે કે પોતાના બાળકોના નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી, જ્યાંથી તેમને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓને માહિતી આપવાનો ઉદ્દેશ્ય શાળાના તમામ વિદ્યાર્થીઓમાં યુનિફોર્મમાં સાતત્ય જળવાઈ રહે, ખાસ કરીને યુનિફોર્મના કપડામાં, ડિઝાઈનમાં અને યુનિફોર્મના સિલાઈમાં સમાનતા રહે તે માટે આગ્રહ રાખવામાં આવતો હોય છે. સાથે દરેક શાળા જુદા જુદા પબ્લિકેશન્સની બુક અભ્યાસક્રમમાં ચલાવતી હોય છે ત્યારે વાલીઓને જુદી જુદી જગ્યાએ ધક્કા ન ખાવા પડે તે ઉદેશ્યથી શાળાઓ દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવતી હોય છે. આ કારણસર સ્વનિર્ભર શાળાઓ દ્વારા જે માહિતી આપવામાં આવે છે તેને વાલીઓ એક સૂચન તરીકે સમજે, આદેશ તરીકે નહિ તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ તમામ વાલીઓને જાણ કરે છે વાલીઓ કોઇપણ જગ્યાએથી ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળી નોટબુક, પાઠયપુસ્તક, સ્ટેશનરી કે યુનિફોર્મ મળે તો ખરીદી કરવાનો અધિકાર ધરાવે છે. વાલીઓ ઈ કોમર્સનો પણ ઉપયોગ કરી અને ઓનલાઇન પણ જરૂર વસ્તુઓ ખરીદી શકે છે. તમામ શાળાઓનો ઉદ્દેશ્ય વાલીઓની સગવડતા અને તેમના સમયની બચત સાથે શાળામાં સાતત્ય જળવાય રહે તેવો જ હોય છે. એટલે આમ ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખુલાસો કરે છે કે વાલીઓએ શાળાઓ દ્વારા આપવામાં આવેલ માહિતી ને સૂચન સમજવું આદેશ નહિ તેમ ડી.વી. મહેતાએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર