લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં કઠિન સ્પર્ધા થવાની ધારણા છે. આ પેટાચૂંટણી શાસક આમ આદમી પાર્ટી (AAP) માટે મહત્વપૂર્ણ છે. પંજાબના મુખ્યમંત્રી અને AAP નેતા ભગવંત માને પોતે પેટાચૂંટણી દરમિયાનની લડાઈને ‘નમ્રતા’ અને ‘અહંકાર’ વચ્ચેની લડાઈ ગણાવી હતી.
ગયા અઠવાડિયે (૧૯ જૂન) પંજાબ સહિત દેશના ૪ રાજ્યોમાં ૫ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. AAP પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને ગુજરાતમાં વિસાવદર બેઠક પણ જાળવી રાખવામાં સફળ રહી. કેરળમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં TMCનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે. ગુજરાતમાં ભાજપે એક બેઠક જીતી છે અને એક બેઠક ગુમાવી છે.
પેટાચૂંટણીમાં તમામ 5 બેઠકો માટે વલણો બહાર આવી ગયા છે. અત્યાર સુધીના વલણોમાં, AAP ઉમેદવાર સંજીવ અરોરાએ
લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર મોટી લીડ મેળવી છે. 13 રાઉન્ડની ગણતરી પછી, સંજીવ અરોરા કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુથી 10 હજારથી વધુ મતોથી આગળ છે.