કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ તેમના એક લેખમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈરાન શરૂઆતથી જ ભારતનો સારો મિત્ર રહ્યો છે. કોંગ્રેસ નેતાએ ઇઝરાયલ દ્વારા હમાસ અને ઈરાન પર થયેલા હુમલાની નિંદા કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ પર એક લેખ લખ્યો છે. તેમણે ઈરાન પર ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે, અને મોદી સરકારના વલણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીના લેખનું શીર્ષક છે “ભારતનો અવાજ સાંભળવામાં હજુ પણ મોડું થયું નથી”. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગ
સોનિયા ગાંધીએ લેખમાં લખ્યું છે કે ઈરાન ભારતનો જૂનો મિત્ર રહ્યો છે અને ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે 1994નો જમ્મુ અને કાશ્મીર મુદ્દો સૌથી યાદગાર છે. કારણ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં ભારત વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો, ત્યારે ઈરાને ભારતને ટેકો આપ્યો હતો અને તે ઠરાવને રોકવામાં મદદ કરી હતી.