સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં પાઠ્ય પુસ્તકના હોલસેલ ડિલર્સને ત્યાંથી શાળા સંચાલકોએ બલ્કમાં પુસ્તકોનો જથ્થો ઉપાડી...

રાજકોટમાં પાઠ્ય પુસ્તકના હોલસેલ ડિલર્સને ત્યાંથી શાળા સંચાલકોએ બલ્કમાં પુસ્તકોનો જથ્થો ઉપાડી લીધો

ચાર દિવસ બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે તા. 9મીથી વેકેશન ખુલી જશે ત્યારે વાલીઓને સ્ટેશનરી કે પાઠ્ય પુસ્તકના ડિલર્સ પાસેથી પુસ્તક ન મળતાં ભારે હાલાકી

સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને તેના વાલીના નામની યાદી હોય છે તેના આધારે ડિલર્સને ત્યાંથી શાળા સંચાલક પુસ્તકો મંગાવી વાલીના નામના બિલ તૈયાર કરી લેતાં હોય છે

કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ નજીક એક પાઠ્ય પુસ્તકના હોલસેલ વિક્રેતાને ત્યાંથી મોટા ભાગનો જથ્થો ખલાસ થઇ ગયો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની અમુક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા હોલસેલ પાઠ્ય પુસ્તકના ડિલર્સને ત્યાંથી બલ્કમાં મોટા જથ્થામાં પાઠ્ય પુસ્તકો ખરીદી લેતા અમુક વાલીઓ કે જેને સ્કૂલમાંથી પાઠ્ય પુસ્તકો લેવા માટે દબાણ કરવામાં આવતું નથી તેવા વાલીઓની કફોડી સ્થિતિ થઇ ગઇ છે. મુખ્ય ડિલર્સને ત્યાં પાઠ્ય પુસ્તકો ન મળતાં વાલીઓમાં દેકારો મચી ગયો છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ નાના સ્ટેશનરીના ધંધાર્થીઓને પણ પોતાની દુકાનમાં પાઠ્ય પુસ્તકોના ધંધા માટે ડિલર્સને ત્યાંથી પણ જરૂરી પુસ્તકો મળતા નથી.
નવા શૈક્ષણિક સત્ર ખુલવા માટે હવે ચાર દિવસ જ બાકી છે વાલીઓ અગાઉથી પુઠા ચડાવી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવા દોડધામ કરી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, હોલસેલ પાઠ્ય પુસ્તકના વિક્રેતાને (ડિલર્સ) ત્યાંથી અમુક ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના નામની યાદી લઇને વાલીઓના નામના બિલ બનાવી પાઠ્ય પુસ્તકો લઇ સ્કૂલોમાં વિતરણ કરી તગડો નફો કમાઇ લેતાં હોય છે. એક તરફ તગડી તોતિંગ ફી વાલીઓ પાસેથી અમુક ખાનગી શાળાઓ વસુલતી હોવાના આક્ષેપો થાય છે. બીજી તરફ સ્કૂલમાંથી કોચિંગ કલાસ, સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ, પાઠ્ય પુસ્તકો વિતરણ સહિતમાં નફો મેળવવાની લાલસાના પગલે વાલીઓની સ્થિતિ દયનિય બની ગઇ છે. પુસ્તક પ્રકાશનના કે ડિલર્સને ત્યાંથી શાળા સંચાલકોએ મેળવેલા પાઠ્ય પુસ્તકોમાં ડિલર્સને કમિશન ઉપરાંત શાળા સંચાલકને પણ આવક થતી હોય છે.

સ્ટેશનરીના નાના વેપારીને ત્યાં જરૂરી પાઠ્ય પુસ્તક મળતાં નથી પરંતુ એજ્યુકેશન મોલમાં તમામ મળે છે

રાજકોટના ચાર ખાનગી સ્કૂલોના સંચાલકોએ ભેગા થઇ નાનામવા પાસે એજ્યુકેશન મોલ ઉભો કરી તમામ ખાનગી શાળાઓને ત્યાંથી પુસ્તકો ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ શાળામાંથી પણ જે પાઠ્ય પુસ્તકોની યાદી છાત્રોને આપવામાં આવે છે તેમાં એજ્યુકેશન મોલમાંથી ખરીદવા અમુક શાળાના સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં નાના સ્ટેશનરીના ધંધાર્થીઓને સીઝનમાં ધંધો કરવા પાઠ્ય પુસ્તકો ડિલર્સને ત્યાંથી મળતા નથી, જ્યારે એજ્યુકેશન મોલમાં માંગો તે ધોરણના તમામ પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ હોવાની વિગતો બહાર આવી છે. નાછૂટકે વાલીઓ ત્યાં દોડી જાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર