શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમાંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા કાલે સમસ્ત કોળી સમાજ માટે થનગનાટ રાસોત્સવ

માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા કાલે સમસ્ત કોળી સમાજ માટે થનગનાટ રાસોત્સવ

પ્રિન્સ-પ્રીન્સેસને ઇનામો અપાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેેશ),રાજકોટ: માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા રાજકોટના આંગણે કાલે સમસ્ત કોળી સમાજ માટે થનગનાટ 2024 રાસોત્સવનું આયોજન રાખેલ છે. બે વર્ષની ભવ્ય સફળતા બાદ સમસ્ત કોળી સમાજ માટે શાસ્ત્રી મેદાન, લીમડા ચોક ખાતે બામ્બુ બીટસના સથવારે માંધાતા ગ્રુપ રાજકોટ દ્વારા ભવ્ય અને જાજરમાન એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. 6-30 વાગ્યે આરતી થશે અને પ્રથમ રાઉન્ડ 7 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં વિશેષ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રૂપાલા, પ્રદેશ ઉપાઘ્યક્ષ ભરતભાઇ બોઘરા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી પરસોત્તમભાઇ સોલંકી, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ગોંડલ નગરપાલિકા પુર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી, કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, ધારાસભ્ય શિવાભાઇ ગોહીલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, પુર્વ સાંસદ વલ્લભભાઇ કથીરિયા, મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઇ દોશી, વીરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિનભાઇ મોલીયા, માધવભાઇ દવે, મહેશભાઇ રાઠોડ, વાઘજીભાઇ મેવાસીયા, ચેતનભાઇ રામાણી, રમાબેન મકવાણા, રેખાબેન સગારકા (ગુજરાત માંધાતા ગ્રુપ મહામંત્રી “ભવ્ય સૌરાષ્ટ્ર ન્યુઝ માલિક તંત્રી) તથા કોળી સમાજના કોર્પોરેટરો, કમિશ્ર્નર, મેયર નયનાબેન પેઢડીયા, કોળી સમાજના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહેશે. આ આયોજન પ્રેરણા સ્ત્રોત ભુપતભાઇ ડાભી (સ્થાપક શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત) આયોજક હિરેનભાઇ ડાભી (યુવા અઘ્યક્ષ માંધાતા ગ્રુપ ગુજરાત જિલ્લા અઘ્યક્ષ બજરંગ દળ) કરે છે. સહ આયોજક તરીકે માંધાતા ગ્રુપ પ્રવક્તા વિનોદભાઇ નાગાણી, માંધાતા ગ્રુપ રાજકોેટ પ્રમુખ વલ્લભભાઇ પરમાર, સોમાભાઇ ભાલીયા, વિરમભાઇ રાઠોડ, રાજુભાઇ સાપરા, કૈલાશભાઇ વઘાસીયા, રેખાબેન સગારકા, લીલાબેન કુમારખાણીયા સહીતના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા ઇચ્છતા લોકોએ મો.નં.70697 87070, 87349 65119 પર સંપર્ક કરવો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા હીરેનભાઇ ડાભી, વિનોદભાઇ નાગાણી, સોમાભાઇ ભાલીયા, રેખાબેન સગારકા, લીલાબેન, મનોજભાઇ સોલંકી, રાજુભાઇ સાપરા, દેવાંગભાઇ કુકાવાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર