શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપનઘટ દ્વારા શનિવારે બાય બાય નવરાત્રીનું આયોજન

પનઘટ દ્વારા શનિવારે બાય બાય નવરાત્રીનું આયોજન

રાજકોટના નામાંકિત ડી.જે.ધીર ખેલૈયાઓને ડોલાવશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: અયોઘ્યા ચોક ખાતે વેલ્વેટ પાર્ટી પ્લોટ પર બાય બાય નવરાત્રી : દશેરા સ્પેશ્યલ ‘પનઘટ-2024’ વનડે ગરબાનું તા.12ને શનિવારના રોજ આયોજન કરાયું છે. જેમાં લોકો પારિવારીક વાતાવરણ સાથે મન મુકીને ગરબે ઘુમી શકે એ માટે ખ્યાતનામ કલાકારો અને તેમની ઓરકેસ્ટ્રા ટીમ લાઇવ પરફોમન્સ આપશે તેમજ રાજકોટના નામાંકીત ડી.જે.ધીર પણ ડી.જે.ના તાલ પર ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. આ ઉપરાંત આ ઇવેન્ટમાં હાલની ગુજરાતી ફિલ્મ ‘રણભૂમિ’ની સ્ટાર કાસ્ટ પણ હાજરી આપશે તેમજ ધણા બધા સોશ્યલ મીડિયા સેલીબ્રીટીની હાજરી હશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિના અજીત પરમાર, વિમલ ગોસ્વામી, દિવ્યરાજ ગોસ્વામી, નિલેશ આડેસરા, વિશાલ માંડવીયા, અક્ષય ચાવડા, રણજીતભાઇ વાઘેલા, નેહા ચાવડા, પાર્થ કોટડીયા તેમજ સહ આયોજક તરીકે ગુજરાતી મચ્છુ કઠીયા સમાજ-રાજકોટ જ્ઞાતિ તરફથી રાજેશ ચૌહાણ, અનીતા ચાવડા, મેઘા ચાવડા જોડાયેલ છે તેમજ ખેલૈયાઓ માટે આકર્ષિત સેલ્ફીઝોન રહેશે. પાસ માટે 88667 72227, 98984 15316, 98242 01966 પર સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોેએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર