ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગૃહકંકાશમાં પત્નીની હત્યા નીપજાવી પતિએ આત્મહત્યા કરી

ગૃહકંકાશમાં પત્નીની હત્યા નીપજાવી પતિએ આત્મહત્યા કરી

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાબેના આરંભડા ગામનો બનાવ : ત્રણ-ચાર માસથી અલગ-અલગ રહેતા દંપતી વચ્ચે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો: બે માસૂમ બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવતા અરેરાટી : મીઠાપુર પોલીસે હાથ ધરી વધુ તપાસ

(આઝાદ સંદેશ),રાજકોટ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી પંથમાં સોમવારે મોડી સાંજે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં કથિત ગૃહકંકાસમાં ડ્રાઇવીંગ મજૂરી કામ કરતા યુવાને તેના પત્નીની તિક્ષ્ણ હથિયાર છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. બનાવ મામલે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. હત્યાના બનાવે સુરજકરાડી પંથક સહીત દેવભૂમિ પંથકમાં ભારે અરેરાટી મચી ગઇ છે. મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાના સુરજકરાડીમાં આશાપુરા સોસાયટીના પાછળના ભાગના વિસ્તારમાં રહેતા ભાવનાબેન વલિયાભા માણેક (ઉ.30) પરિણીતાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે સાથે જ રૂમમાં તેના પતિ વલિયાભા મોમૈયાભા માણેક (ઉ.34)નો પણ ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ મીઠાપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ભાવનાબેનને તિક્ષ્ણ હથિયાર છરીના ઘા ઝીંકી દેવાતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ સામે આવ્યું હતું.જે સાથે તેના પતિ વલિયાભા મોમૈયાભા માણેક પણ ગળાફાંસો ખાધેલી હાલતમાં રૂમ અંદર લટકતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. પતિ અને પત્ની લગભગ ત્રણ ચાર માસથી અલગ અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. સંભવત: દંપતિ વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી આ ખુની ખેલ બાદ પતિએ પણ ગળાફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર બનાવ મામલે ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. બનાવની જાણ થતા પીઆઇ ટી.સી.પટેલ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળ પર દોડી ગયા હતા. બનાવ મામલે તપાસ પણ શરૂ કરાઇ છે. વિધિવત ફરિયાદમાં બનાવનું કારણ સ્પષ્ટ થશે આ બનાવે સુરજકરાડી સહિત દેવભૂમિ પંથકમાં ભરે ચકચાર સાથે અરેરાટી જગાવી છે. વધુ મળતી માહિતી મુજબ મૃતક દંપતિને સંતાનમાં આઠ-નવ વર્ષનો પુત્ર તથા એક તેનાથી પણ નાની પુત્રી છે. સંભવત: બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આ બનાવમાં પતિ અને પત્ની બંન્નેએ જીવ ગુમાવતા હાલ બે માસુમ બાળકે માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર