(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજીના ભાદર નદીમાં ઝંપલાવી જૂનાગઢના રીક્ષા ચાલક અને તેના પુત્રના આપઘાત પ્રકરણમાં કારણ સામે આવ્યું છે. જેમાં યુવકની દીકરીએ મરજી વિરુદ્ધ પાડોશી સાથે લગ્ન કરી લીધા હોય તે બાબતનું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું
મળતી માહિતી મુજબ, જૂનાગઢના રીક્ષાચાલક હિરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ (ઉં.વ.45) અને તેના પુત્ર રીયાન્સ(ઉં.વ.10)ના મૃતદેહ ગઈકાલે ધોરાજી નજીક ભાદર નદીમાંથી મળી આવ્યા હતા. જે પછી મૃતક હિરેનભાઈના સાળા અજયભાઈ ભરતભાઇ જયસ્વાલ (ઉ.વ.40, રહે. દાતાર રોડ દુબળી પ્લોટ ગૌ શાળા પાંજરાપોળ પાસે જુનાગઢ)એ પોલીસને જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને જૂનાગઢમાં કારવા ચોકમાં આવેલ મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસમાં એકાઉટન્ટ તરીકે નોકરી કરું છું. અમે બે ભાઈઓ તથા બે બહેનો છીએ. મારી નાનીબેન સોનલબેનના લગ્ન સને-2005ની સાલમાં હીરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ (મુળ રહે. છાછર, કોડીનાર) સાથે સમાજના રીતી રીવાજ મુજબ કરેલ હતા. મારા બેન – બનેવીને સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરાનો જન્મ થયેલ હતો. જેમા મોટી દીકરી પ્રીયંકા ઉર્ફે નંદીની અને નાની દીકરી દ્રષ્ટી છે. સૌથી નાનો દીકરો રીયાન્સ હતો. મારાબેન – બનેવી તેના સંતાનો તથા હિરેનભાઈના મમ્મી શોભનાબેન એમ બધા પાંચેક વર્ષ પહેલા અમારા પાડોશમાં જૂનાગઢ રહેવા આવતા રહેલ હતા. તેમની મોટી દીકરી પ્રીયંકા ઉર્ફે નંદીનીએ પરીવારના સભ્યોની મરજી વિરુધ્ધ આજથી આશરે પાંચેક મહીના પહેલા ભાગીને અમારા પાડોશમાં રહેતા પ્રકાશભાઈ પટેલ સાથે લવમેરેજ કરેલ હતા. જેના કારણે મારા બનેવી ટેન્શનમાં રહેતા હતા. જેના લીધે તેણેઆ પગલું ભરી લીધું હતું.