ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા 22મીએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા 22મીએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

700થી વધુ છાત્રોને સન્માનીત કરાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા 31મો સરસ્વતી સન્માન સમારંભ તા.22ને રવિવારના રોજ બપોરે 2 લાકે હેમુગઢવી હોલ, ટાગોર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. જેમાં 700થી વધુ વિધાર્થીઓને ઇનામ તેમજ આશ્ર્વાસન ઇનામ આપી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં હસમુખભાઇ પરમાર, ડો.યોગીતાબેન ચૌહાણ, રાજેશભાઇ ચૌહાણ સહીતના અગ્રણીઓ હાજર રહેશે તેમજ નીશાબેન ચાવડા, નીલેશભાઇ પરમાર, ડો.કિરણભાઇ પરમાર, પ્રવિણભાઇ જેઠવા, કીર્તીબેન જેઠવા, મયુરભાઇ વાળા તથા અમદાવાદ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચંદ્રાવતીબેન ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં જ્ઞાતિ રત્ન તરવૈયા તેમજ દરિયાઇ તરણ સ્પર્ધા-2024ના સિલ્વર મેડલ વિજેતા પ્રતિક નાગરનું વિશેષ સન્માન કરવામાં આવશે. રાજકોટ શહેરના ધો.1 થી 12 તથા ગ્રેજ્યુએટ થયેલ તમામ વિધાર્થીઓ તથા વાલીઓ તેમજ જ્ઞાતિજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા હાર્દિકભાઇ ચૌહાણ, મુકેશભાઇ ગોહીલ, સુરેશભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ સોંડાગર, જીતેન્દ્રભાઇ ગોહીલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર