ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો 50મો વિદ્યા સત્કાર સમારોહ રવિવારે યોજાશે

ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો 50મો વિદ્યા સત્કાર સમારોહ રવિવારે યોજાશે

370થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે : વિશેષ સેવાર્થીઓનું વિશેષ સન્માન કરાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજિક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા આગામી રવિવારના રોજ 50મો વિધાસત્કાર સમારોહ યોજાશે. સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્ય ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી “રાજાભૈયા તેમજ મહારાજા યદુવીર ક્રિષ્નાદત્તા ચામરાજા વાડીયાર ઓફ મૈસુર, સંસદ સભ્ય મૈસુર, કર્ણાટક અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં 370થી વધુ ક્ષત્રિય તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવશે. સુવર્ણ જયંતી વર્ષ વિધા સત્કાર સમારોહ તા.15ને રવિવારના રોજ બપોરના 2 કલાકે હેમુગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે યોજાશે. સંસ્થા દ્વારા સન્માનીત થનારા તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધે અને સમાજના ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય પ્રાંતના મહાનુભાવોના હસ્તે સન્માનીત થાય તેવા પણ પ્રયત્નો થતા રહે છે. આગામી રવિવારે આયોજીત 50માં વિધા સત્કાર સમારોહમાં દેશભર તેમજ વિશ્ર્વભરમાં ક્ષત્રિય સમાજમાં આગવી નામના ધરાવતા લાખો, કરોડો ક્ષત્રિયોના તેમજ અન્ય સમાજમાં પણ લોકચાહના ધરાવનાર ઉત્તરપ્રદેશના ભદરી રિયાસતના રાજવી પરિવારના કુંવર રઘુરાજપ્રતાપસિંહજી “રાજા ભૈયા મુખ્ય મહેમાન પદે તેમજ તેમની સાથે મૈસુર સ્ટેટ સાંસદ ક્રિષ્નાદત્તા ચામરાજા વાડીયાર ઓફ મૈસુર પણ સમારોહમાં ઉદ્ધાટક તરીકે સ્થાન દીપાવશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ રહેશે અન્ય મહેમાનો તરીકે કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રઘ્યુમનસિંહ જાડેજા, રાપર કચ્છના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા, પુર્વ મંત્રી ગુજરાત રાજ્ય ધર્મેન્દ્રસિંહજી જાડેજા તેમજ અગ્રગણ્ય બિલ્ડર, દાતા જે.એમ.જે.ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર મયુરઘ્વજસિંહજી જાડેજા (પડાણા) હાજર રહેશે. ક્ષત્રિય સમાજના હાયર એજ્યુકેશનથી પ્રાઇમરી સુધીમાં ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરનારા 370થી વધુ વિધાર્થી દીકરા, દીકરીઓને શિલ્ડ, સર્ટીફીકેટ તથા રોકડ પુરસ્કાર સાથે મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાશે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ડી.વાય.એસ.પી. કૃષ્ણકુમારસિંહજી એચ.ગોહીલ, ભગીરથસિંહજી વી. ગોહીલ તથા નીરવસિંહજી પી.ગોહીલને પણ તેઓની ઉચ્ચતમ સેવા પ્રદાન કરવા સંદર્ભે સન્માનીત કરવામાં આવશે સાથે 50માં વર્ષના લક્ષ્યમાં ઓલ ઇન્ડીયા બાસ્કેટ બોલ ફેડરેશન સિલેક્શન કમીટીના ચેરમેન પદે પસંદગી પામેલા અને તાજેતરમાં પેરીસ ઓલમ્પિકમાં સ્પેશ્યલ ડેલીગેટ રહેલા શક્તિસિંહ ગોહીલનું પણ સન્માન કરાશે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આગેવાનોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર