ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસિવિલ હોસ્પિટલના બે રેસિડેન્ટ તબીબોને સસ્પેન્ડ કરાયા

સિવિલ હોસ્પિટલના બે રેસિડેન્ટ તબીબોને સસ્પેન્ડ કરાયા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને વોર્ડમાંથી બહાર કાઢી રેઢા મૂકવાની ઘટનામાં બે ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો અભિપ્રાય તપાસ કમિટીએ આપતા અધિક્ષક કચેરીએથી કાર્યવાહી કરાઈ છે.
70 વર્ષના વર્ષાબેન ભાસ્કર નામના વૃદ્ધાને હાથમાં સડો થવાની બીમારી સાથે 108માં સિવિલ ખસેડાયા હતા. 5 સપ્ટેમ્બરની રાત્રીએ 10 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં સારવાર કરાયા બાદ વૃદ્ધાને સર્જરી વિભાગમાં શિફ્ટ કરાયા હતા. જોકે 6 તારીખે સવારે વૃદ્ધા વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચર પર મળી આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે જ તેમને ખદેડી મુકયો હોવાની ખરાઇ થઇ જતાં વર્ષાબેન ભાસ્કરનો મામલો તબીબી અધિક્ષક ડો. મોનાલી માંકડિયા પાસે પહોંચતા તેઓએ તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે, ડો.હેત અને ડો.જૈનમ કે જે બંને સિવિલના રેસિડેન્ટ ડોક્ટર છે તેઓએ વૃદ્ધાને રેઢા મૂકી દીધા હતા. આ તપાસને લઈને ડોક્ટર સામે કાર્યવાહી કરવા તપાસ કમિટીએ અહેવાલ કરતા તબીબી અધિક્ષક ડો.માકડિયાએ બંને રેસિડેન્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. વૃદ્ધાને બહાર મૂકવા માટે ક્યા તબીબે કોને કહ્યું હતું તે સહિતની બાબતો અંગે નિવેદનોનો અભ્યાસ ચાલુ છે. જેને લઈને ટૂંક સમયમાં આખી તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. જેને લઈને ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ન બને અને દર્દીઓને યોગ્ય સારવાર અને સન્માન મળે તેવી સૂચના પણ દરેક વિભાગને આપી દેવાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર