ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅગાઉ કરેલો કેસ પરત ખેંચવા બાબતે નામચીન શખસની વેપારી અને તેના પરિવારને...

અગાઉ કરેલો કેસ પરત ખેંચવા બાબતે નામચીન શખસની વેપારી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી

(આઝાદ સંદેશ),રાજકોટ: નાનામૌવા રોડ પર શાસ્ત્રીનગર પાછળ ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અને પોપટપરામાં રામજી મંદિર પાછળ રાધિકા ડેરી નામે દુકાન ધરાવતા વેપારી ગત તા.4ના તેની દુકાન પાસે હતા ત્યારે નામચીન શખસે ધારીયુ બતાવી તેને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ પ્રવિણભાઇ રવજીભાઇ કાકડીયા (ઉ.56)એ પોલીસને જણાવ્યું કે અગાઉ તેના ભાઇ વિરજીભાઇ કાકડીયા અને તેના સબંધી તેમજ તેના ભાઇના દીકરા કલ્પેશ સાથે નામચીન શખસ ભરત રઘુભાઇ કુંગશીયા અને તેના સંબંધીઓ દ્વારા ભુતવડની જમીન બાબતે માથાકુટ કરી હુમલો કર્યો હતો. જે બનાવમાં ફરિયાદો નોંધાઇ હતી. હાલ તે કેસ કોર્ટમાં ચાલુ છે. ગત તા.4ના તે વિજયભાઇ બારડ સહીતના સાથે દુકાને હતા ત્યારે જીપમાં ઘસી ગયેલા ભરત કુંગશીયાએ દરવાજો ખોલી બોલાવતા તે ત્યાં ગયા હતા. આ સમયે આરોપીએ તેને મારી સામે જેટલા કેસો કરવામાં આવ્યા છે તે પરત ખેંચી લેજો, મારી સાથે સમાધાન કરી લ્યો, જો કોર્ટમાંથી મારી સામેના કેસો પરત નહીં ખેંચશો તો હું તને અને તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ કહી જીપમાં પડેલું ધારીયુ બતાવી હું હથિયાર સાથે જ રાખું છું કહી ત્યાં નાસી ગયો હતો. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર