સાતમા નોરતે યાત્રાધામ પાવાગઢમાં મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા છે. મહાકાળી માતાજીની મંગળા આરતીનો લ્હાવો લેવા મધરાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંગળા આરતીનો લ્હાવો લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. તો બીજી તરફ વરસાદી માહોલના કારણે વહેલી સવારે પાવાગઢ ઉપર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જાણે પાવાગઢ ડુંગરે સફેદ ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળ્યો.


