સુરેન્દ્રનગર પોલીસની માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે. આર્થિક તંગીના કારણે ફાયનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલા સોનાના દાગીનાનું વ્યાજ ચૂકવી ન શકનાર મહિલાએ સુરેન્દ્રનગરના એસપી નો સંપર્ક કરતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. બી-ડિવિઝન પોલીસ ટીમની ઝડપી કામગીરીથી અંદાજે રૂપિયા 4.50 લાખના દાગીના છોડાવી મહિલાને પરત સોંપવામાં આવ્યા. એસપીએ મહિલાને રૂબરૂ બોલાવી દાગીના હસ્તાંતર કરતા પીડિત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર પોલીસની માનવતાભરી કામગીરી : મહિલાને પરત અપાવ્યા રૂ. 4.50 લાખના સોનાના દાગીના


