રાહુલ ગાંધીનો ગુજરાતનો કાર્યક્રમ રદ થયો છે. જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ રદ થયો છે. દિલ્લીમાં ખરાબ વાતાવરણના કારણે ઉડાન શક્ય ન બની. રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાની હતા.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીના મુદ્દા પર સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનેક આરોપો લગાવ્યા. તેમણે મત કેવી રીતે કાઢી નાખવામાં આવ્યા તેની વિગતવાર રજૂઆત કરી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના મતદારો કાઢી નાખવામાં આવી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભારતીય લોકશાહીનો નાશ કરનારાઓનું રક્ષણ કરી રહ્યા હતા. રાહુલે મત કાઢી નાખવાના પુરાવા પણ રજૂ કર્યા.


