અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં કુલ 12માંથી 10 બેઠક પર ભાજપના ઉમેદવારો અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને વિજય મળ્યો છે. કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી રહ્યાં છે. વ્યકિતગત બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં વિજય પટેલને વિજય મળ્યો છે. કુલ 7 મતદાતાઓમાંથી વિજય પટેલે 4 મત મેળવ્યાં હતા. બોરસદ બેઠક માટે જાહેર કરાયેલા પરિણામમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વિજય મળ્યો છે. પેટલાદ બેઠક પરથી બીના તેજસ પટેલ વિજેતા જાહેર થયા છે, જ્યારે આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમાર અને ખંભાત બેઠક પરથી ફરી રાજેન્દ્રસિંહ પરમાર વિજયી થયા છે.
અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી, કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત


