એક્સિઓમ-૪ મિશન: ડ્રેગન અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચી ગયું છે. ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પણ આ અવકાશયાનમાં અવકાશમાં ગયા છે. મિશન એક્સિઓમ-૪ હેઠળ, ૪ અવકાશયાત્રીઓએ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેનાએ કહ્યું, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ એક ઐતિહાસિક યાત્રા શરૂ કરી છે. પૃથ્વીની બહાર ત્રિરંગો લહેરાવનારા સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ પછી આ અદ્ભુત ક્ષણ આવી છે. આ એક મિશન કરતાં ઘણું વધારે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક પોસ્ટમાં કહ્યું, ભારત સહિત 4 દેશોના અવકાશયાત્રીઓને લઈ જતું અવકાશ મિશન એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશને તેમના પર ગર્વ છે. તેમને અને તેમના સાથીદારોને શુભકામનાઓ.