સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજુરી આપવાના મામલે વિવાદ સર્જાયો છે. ગીરમાં માલધારીઓના મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકગાયક રાજભા ગઢવીને ગીરમાં રહેવાની મંજૂરી આપવાના મામલે વિવાદ વકર્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નેસડામાં વસવાટના નિયમો અંગે તીખા સવાલો પૂછ્યા છે. અમરેલી કલેક્ટરે આ બાબતે નાયબ વન સંરક્ષક (DCF) ધારી પાસે તાત્કાલિક વિગતવાર જવાબ માંગ્યો. આગામી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વન વિભાગના DCFને રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો. માલધારીઓના હક અને જંગલના નિયમોની આ લડાઈ આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજુરી અપાતા વિવાદ સર્જાયો


