રાજકોટ મહાનગર પાલિકાની આજે યોજાયેલી જનરલ બોર્ડ બેઠક બાદ શહેરના વિવિધ વિકાસકાર્યો, વહીવટી નિર્ણયો અને વિપક્ષના વિરોધ વચ્ચે મેયર નેહલ શુક્લે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મેયરે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં શહેરહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને રાજકોટના વિકાસને વધુ ગતિ આપવા માટે જરૂરી ઠરાવો અને કામગીરી અંગે વિચારણા હાથ ધરાઈ છે. તેમણે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લોકશાહી પ્રક્રિયાનો ભાગ ગણાવતા કહ્યું કે પ્રજાના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર મનપા સંપૂર્ણ ગંભીરતા સાથે કામ કરી રહી છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, સફાઈ, રોડ-માર્ગ, પાણી અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા મનપા પ્રતિબદ્ધ છે અને જનરલ બોર્ડમાં થયેલી ચર્ચાઓના આધારે આગામી સમયમાં અસરકારક નિર્ણયો લેવામાં આવશે.
રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠક બાદ મેયર નેહલ શુક્લનું નિવેદન, શહેર વિકાસના મુદ્દે મનપા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું


