નરેન્દ્ર મોદી 20મીએ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાત લેવાના છે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેનાથી સમગ્ર જિલ્લા અને રાજ્યને લાભ થશે.


