શુક્રવાર, જૂન 19, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના વોર્ડ નં. 4માં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ, આમ આદમી...

રાજકોટના વોર્ડ નં. 4માં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ, આમ આદમી પાર્ટીએ મનપા તંત્રને પાઠવ્યું આવેદનપત્ર

રાજકોટ શહેરના વોર્ડ નં. 4 હેઠળ આવતી વિવિધ સોસાયટીઓમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીના ઓછા દબાણ, અનિયમિત વિતરણ અને કેટલીક જગ્યાએ પૂરતું પાણી ન મળવાની ફરિયાદોને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

રાહુલ ભુવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં. 4ની અનેક સોસાયટીઓમાં રહેવાસીઓ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં સમસ્યા વધુ ગંભીર બની જાય છે, જેના કારણે લોકોને દૈનિક જરૂરિયાતો માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો સંતોષકારક ઉકેલ ન આવતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.

આવેદનપત્રમાં મનપા તંત્રને પાણી પુરવઠાની વ્યવસ્થાનું સર્વેક્ષણ કરી જ્યાં ટેક્નિકલ ખામીઓ હોય તેને દૂર કરવા, જરૂરી હોય ત્યાં નવી લાઇન નાખવા તથા પૂરતા દબાણ સાથે નિયમિત પાણી પહોંચે તે માટે કાયમી આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પાણી સંબંધિત ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે પણ તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહિશો સાથે મળીને લોકશાહી ઢબે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. બીજી તરફ મહાનગરપાલિકા તંત્રએ રજૂઆતને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ વોર્ડ નં. 4ના રહિશો પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર