મંગળવાર, ફેબ્રુવારી 17, 2026

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકિશન પરા ચોકમાં એસટી બસના ડ્રાઇવર પર હુમલો, કાર્યવાહી ન થવાથી પોલીસ...

કિશન પરા ચોકમાં એસટી બસના ડ્રાઇવર પર હુમલો, કાર્યવાહી ન થવાથી પોલીસ વ્યવસ્થાએ ઊભા કર્યા સવાલો

રાજકોટ શહેરના કિશન પરા ચોક વિસ્તારમાં એસટી બસ પર થયેલા હુમલાની ઘટનાએ હવે જાહેર ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસ દરમ્યાન બસ થંભી રહી હતી ત્યારે એક સ્કૂટર બસની નજીક આવ્યું હતું. મહત્વનું એ છે કે બસ અને સ્કૂટર વચ્ચે કોઈ અથડામણ થઈ નહોતી, છતાં પણ સ્કૂટર ચાલક અચાનક ગુસ્સે ભરાયો અને તરત જ સ્કૂટર પાર્ક કરી બસમાં ચઢી ગયો હતો. આરોપી શખ્સે કોઈ તકેદારી વગર એસટી બસના ડ્રાઇવરને તમાચો મારી દીધો હતો, જે ઘટનાથી મુસાફરોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, “મોટા બાપનો દીકરો છે એટલે મામલો સેટ થઈ ગયો,” જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે આરોપીના પરિવારના ઉચ્ચ અધિકારીઓ સુધી સારા સંપર્કો હોવાથી કાર્યવાહી નરમ રાખવામાં આવી રહી છે. જાહેર પરિવહનના કર્મચારીઓ પર ખુલ્લેઆમ હાથ ઉઠાવવાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આ મામલે એસઆર (સ્ટેશન ડાયરી નોંધ) કરવામાં આવી છે, પરંતુ હજી સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે જો સામાન્ય માણસ આવી હરકત કરે તો તરત કાર્યવાહી થાય, પરંતુ અહીં આરોપી સામે કાયદાની પ્રક્રિયા ધીમી કેમ છે તે પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે.

આ ઘટના માત્ર એક ડ્રાઇવર પર થયેલા હુમલા સુધી સીમિત નથી, પરંતુ તે સમગ્ર પોલીસ વ્યવસ્થા અને કાયદાના સમાન અમલ પર સવાલ ઊભા કરે છે. જાહેર પરિવહનના કર્મચારીઓની સુરક્ષા અને ન્યાયિક કાર્યવાહી અંગે હવે લોકો સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

રાજકોટ | શિક્ષણ સમાચાર

તાજા સમાચાર