શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅંકલેશ્વર પાસે રાજકોટ LCBની ટીમને નડ્યો અકસ્માત,એક પોલીસકર્મીનું મોત, આરોપી સહિત ત્રણ...

અંકલેશ્વર પાસે રાજકોટ LCBની ટીમને નડ્યો અકસ્માત,એક પોલીસકર્મીનું મોત, આરોપી સહિત ત્રણ જવાન ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ આ અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું. હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલીક મદદ અર્થે પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ, અરવિંદસિંહ જાડેજા, દિવ્યેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપીંડીની તપાસમાં સુરત ગયા હતાં જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હતો જેથી છેતરપીંડીની તપાસમાં ગયેલ ટીમ આ આરોપીને લઈ રાજકોટ પરત આવતી હતી. આ દરમિયાન સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘયક થયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું. જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવતા હતા તે આરોપી વિજય પરમાર ઈજાઓ પહોંચી હતી.

આ તમામને સારવાર અર્થે અંકલેશ્ર્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડ તેમજ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્ર્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી હતી. મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર