મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની એક ફ્લાઇટ લેન્ડિંગ કરતી વખતે રનવે પર લપસી ગઈ. આ ફ્લાઇટ કોચીથી મુંબઈ આવી રહી હતી.
મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ કરતી વખતે રનવે પર લપસી ગઈ. આ ફ્લાઇટ કોચીથી મુંબઈ આવી રહી હતી. CSMIAના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 21 જુલાઈ 2025 ના રોજ સવારે 9.27 વાગ્યે, કોચીથી આવતી એક ફ્લાઇટ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) મુંબઈના રનવે પરથી નીકળી ગઈ. રનવેમાંથી બહાર નીકળવાની પરિસ્થિતિ પછી તરત જ, CSMIAની કટોકટી પ્રતિભાવ ટીમો સક્રિય કરવામાં આવી હતી. બધા મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય રનવે 09/27 માં થોડું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ કારણે, સેકન્ડરી રનવે 14/32 ને કામગીરી ચાલુ રાખવા માટે સક્રિય કરવામાં આવ્યો છે. CSMIA ખાતે મુસાફરોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.