કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બજેટ પૂર્વે જણાવ્યું કે પ્રજાના કરથી બનતા બજેટમાં પ્રજાલક્ષી બાબતો હોવી જોઈએ. તેમણે કહ્યું કે બજેટ માત્ર પોતાની વાહવાહી, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે નહીં હોવું જોઈએ. ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ. ખાલી સરકારી પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર થવું જોઈએ. વિધવા પેન્શન અને દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવામાં આવવો જોઈએ. અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગુજરાતમાં બહેનોને 500 રૂપિયામાં ગેસ બોટલની જાહેરાત થવી જોઈએ અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું સહાય ભેટ થવું જોઈએ. મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના લાગુ કરવામાં આવવી જોઈએ. કર્મચારીઓ માટે ઓપીએસ યોજનાને કોંગ્રેસ સમર્થન આપશે.


