નાના અને મધ્યમ વર્ગ માટે 80% સ્ટેમ્પ ડ્યુટી માફી – વસાહતી ઘર ખરીદનારાઓ માટે રાહત
સોસાયટીઓ, એસોસિએશનો અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો દ્વારા રહેણાંક મકાનોની માલિકીની ફાળવણી:
અલોટમેન્ટ લેટર અથવાશેર સર્ટિફિકેટના આધારેજે ટ્રાન્સફર (તબદીલી) થાય છે, તેના માટે નક્કી થયેલી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ (માફી) આપવામાં આવશે.અગાઉ શું થતું હતું?અલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટના આધારે મકાનની માલિકી મળતી હોવા છતાં, જ્યારે તેને કાનૂની રીતે રજીસ્ટર્ડ કરાવવાનો સમય આવતો, ત્યારે નાગરિકોને આખી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી. ઘણીવાર આ ડ્યુટી લાખો રૂપિયાની બનતી હોવાને કારણે સામાન્ય લોકો આ ડોક્યૂમેન્ટેશન કરાવતા ટાળતા, જેના કારણે:મિલકત કાયદેસર રીતે તેમના નામે ન રહેતી,આગળ જઇને વેચાણ કે લોન જેવી પ્રક્રિયામાં મુશ્કેલીઓ આવતી.
નવા નિર્ણયથી શું લાભ થશે?
✅ નાની ઘરોની ખરીદી વધુ સસ્તી બનશે
✅ દસ્તાવેજીકરણ (document registration) પ્રેક્ટિસ વધુ અધિકૃત અને સરળ થશે
✅ લોકો વધુ ઉત્સાહપૂર્વક ઘરનું રજીસ્ટ્રેશન કરાવશે
✅ ખાસ કરીને સામાન્ય નાગરિકોને ભારે નાણાકીય રાહત મળશે
✅ સરકારી આવક ઘટ્યા વિના નાગરિકોનો ભરોસો અને ભાગીદારી વધશેકેમ છે.
આ નિર્ણય મહત્વનો?ગુજરાતના શહેરો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા વિસ્તારોમાં હજારો હોમ ઓનર્સ એવા છે જેમણે મકાન તો ખરીદ્યું છે પણ તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી કારણ કે સંપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી ભરવી તેમના માટે ભારે બની રહેતી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી હવે એવા લોકો પણ રજીસ્ટ્રેશન તરફ વળશે – જેનાથી પ્રોપર્ટી માર્કેટ પણ વધુ ટ્રાન્સપેરન્ટ અને ઝડપી બનશે.રાજ્ય સરકારની People-Centric Governance તરફ એક વધુ પગલુંઆ નિર્ણયથી સાબિત થાય છે કે ગુજરાત સરકાર સામાન્ય નાગરિકોના જીવનને સરળ અને સુખમય બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નીતિઓ અને દરોજના વ્યવહારમાં લોકોનું નાણાં બચાવવું અને કાનૂની પ્રક્રિયાઓ સરળ બનાવવી એ આજની સરકારનું મિશન છે.