અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. વિસાવદર બેઠક પર AAPની જીત બાદ ગુજરાત પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદ આવશે. 2 જુલાઈના રોજ ‘સદસ્યતા જોડો’ અભિયાનની શરૂઆત કરાવશે. આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
2 જુલાઈના રોજ કેજરીવાલ ‘સદસ્યતા જોડો’ અભિયાનની શરૂઆત કરશે, જેના માધ્યમથી પાર્ટી પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવા માગે છે. AAP ગુજરાતમાં પોતાની હાજરી વધુ દ્રઢ બનાવવા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ માને છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી ચરણોમાં વધુ સક્રિય ભાગીદારી માટે પણ આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.