ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે, તેમના માટે આ મેચમાં રમવું મુશ્કેલ લાગે છે. જેના કારણે ટીમનું ટેન્શન વધી ગયું છે. ચાહકો પણ આનાથી નિરાશ છે.
લીડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ કોઈપણ કિંમતે એજબેસ્ટન ટેસ્ટ જીતીને શ્રેણી બરાબર કરવા માંગે છે. આ દરમિયાન, ઈંગ્લેન્ડથી ભારતીય ટીમ અંગે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમના કેપ્ટન માટે મેચ રમવી મુશ્કેલ લાગે છે. આનાથી ટીમનું ટેન્શન ઘણું વધી ગયું છે. શું તમે ચોંકી ગયા છો? અમે અહીં શુભમન ગિલ વિશે નહીં, પરંતુ ભારતીય મહિલા ટીમના કેપ્ટન વિશે વાત કરી રહ્યા છીએ. ભારતીય મહિલા ટીમ પણ આ સમયે ઈંગ્લેન્ડમાં હાજર છે અને શનિવાર 28 જૂનથી ઈંગ્લેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર માટે પહેલી મેચમાં રમવું મુશ્કેલ લાગે છે.
ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની T20I શ્રેણી સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. તેનો પહેલો મેચ 28 જૂન, શનિવારના રોજ નોટિંગહામમાં રમાશે. હરમનપ્રીત કૌર 27 જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી શકી ન હતી. ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હરમનપ્રીત બીમાર છે, તેથી તે આવી શકી નથી. જોકે, તેણીએ આશા વ્યક્ત કરી હતી કે તે મેચ પહેલા સ્વસ્થ થઈ જશે. તેણીએ કહ્યું, “હરમનપ્રીત બીમાર છે, તેથી હું અહીં આવી છું”