શનિવાર, મે 16, 2026

ઈ-પેપર

શનિવાર, મે 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયસુરતઃ લસકાણા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીનું મોત

સુરતઃ લસકાણા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીનું મોત

સુરતમાં લસકાણા સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શનદાસજી સ્વામીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ સ્વામીએ ઘેનની ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને રજૂઆત કરી છે અને સ્વામીની આત્મહત્યાના પાછળના કારણોની તપાસ કરવાની માગ કરી છે. લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. ખાસ વાત એ રહી કે અમિત શાહ માત્ર ચાર વાહનોના કાફલા સાથે બેઠક સ્થળે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ કલેક્ટર અને રેલવે DRM પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. પ્રવાસ દરમિયાન અમિત શાહ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.

છોટા ઉદેપુર:પાવી જેતપુરન નાની રાસલીમાં દીપડી પાંજરે પુરાઈ

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવનાર અઢી વર્ષની દીપડી આખરે પાંજરે પુરાઈ છે. દીપડીના ભયને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે દીપડીને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડી સપડાઈ ગઈ. દીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર