શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુજરાત સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવશે: ‘ભાગેડુ લગ્ન’ની સમસ્યાનો નિવારણ

ગુજરાત સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવશે: ‘ભાગેડુ લગ્ન’ની સમસ્યાનો નિવારણ

ગુજરાત સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવશે: ‘ભાગેડુ લગ્ન’ની સમસ્યાનો નિવારણ

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના કાયદામાં મહત્વપૂર્ણ સુધારા અંગેનું નોટિફિકેશન જાહેર કરવાની તૈયારી છે. લાંબા સમયથી પાટીદાર સમાજ સહિત વિવિધ સંગઠનો ‘ભાગેડુ લગ્ન’—અર્થાત વાલીની સંમતિ વિના થતા પ્રેમલગ્ન—સંદર્ભે થતી છેતરપિંડી અટકાવવા કાયદાકીય ફેરફારની માંગ કરી રહ્યા હતા.

પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ સુધારાથી નિયમિત અને કાયદેસર લગ્ન જીવન પર કોઈ અસર પડશે નહીં, પરંતુ લગ્નના નામે થતી ગેરરીતિઓ અને છેતરપિંડી પર રોક લાગશે. પ્રસ્તાવિત સુધારા મુજબ વાલીઓની સંમતિ સહિત કેટલીક પ્રક્રિયાગત જોગવાઈઓ ફરજિયાત કરવામાં આવી શકે છે. આ મુદ્દે સરકાર એક મહિના સુધી જાહેર સૂચનો અને વાંધાઓ મંગાવશે અને તે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. ગાંધીનગરમાં લેવાયેલો આ નિર્ણય પાટીદાર સમાજ અને અન્ય સંગઠનોની લાંબી લડતનો પરિણામ તરીકે જોવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર