શુક્રવાર, ફેબ્રુવારી 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલ પાડાપુલ 45 દિવસ માટે બંધ, રીપેરીંગ કામ...

મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલ પાડાપુલ 45 દિવસ માટે બંધ, રીપેરીંગ કામ શરૂ

મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલ પાડાપુલને ગુરુવાર રાત્રે 12:00 વાગ્યાથી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. પુલમાં જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધરવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

પુલના બેરિંગ બદલવા, જોઈન્ટ બદલવા સહિતની મહત્વપૂર્ણ કામગીરી માટે પુલ બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે બે દિવસ અગાઉ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પુલ બંધ કરવાની માહિતી આપવામાં આવી હતી.

અધિકારી માહિતી મુજબ, આગામી 45 દિવસમાં પુલના કુલ 9 સ્પાન (ગાળા)ના 54 બેરિંગ બદલવામાં આવશે તેમજ 10 જોઈન્ટની પણ બદલવાની કામગીરી કરવામાં આવશે. રીપેરીંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક નાગરિકોની સલામતી અને પુલની મજબૂતી જાળવવા માટે આ કામગીરી અત્યંત જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર