સોમવાર, ફેબ્રુવારી 16, 2026

ઈ-પેપર

સોમવાર, ફેબ્રુવારી 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજુનાગઢ મહાશિવરાત્રી મેળાને લઈ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 30 એકસ્ટ્રા બસ દોડાવાશે

જુનાગઢ મહાશિવરાત્રી મેળાને લઈ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 30 એકસ્ટ્રા બસ દોડાવાશે

જુનાગઢ મહાશિવરાત્રી પર્વને પગલે, રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 30 એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝન હેઠળના અલગ અલગ 9 ડેપો ઉપરથી જૂનાગઢ જવા માટે 30 એકસ્ટ્રા બસ દોડાવાશે. આગામી 11 થી 15 તારીખ સુધી જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે.

ટ્રેડ ડીલ પૂર્ણ થવા પર પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, વિકસિત ભારત તરફ એક ડગલું

પીએમ મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સને વેપાર કરાર પર અભિનંદન આપ્યા છે. સોશિયલ મીડિયા એક્સ ( ટ્વીટર) પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એક વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર કરાર પર પહોંચ્યા છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.

SIR બાદ મહેસાણામાં મતદારોની સંખ્યા ઘટી, 1 લાખ 94 હજાર મતદારોના નામ રદ કરાયા

મહેસાણા જિલ્લામાં મતદારોની સંખ્યામાં જંગી ઘટાડો નોંધાયો છે. મતદાર યાદી સુધારણા દરમિયાન 23,341 વાંધા અરજીઓ આવી હતી. નામ કમી કરવા માટે કુલ 23,341 અરજીઓનો ખડકલો થયો છે. SIRની કામગીરીમાં 1,94,105 મતદારોના નામ રદ થયા છે. સ્થળાંતર અને મૃત્યુ સહિતના કારણોસર મતદારો ઘટ્યા હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે. અગાઉ 17.91 લાખ મતદારો હતા, હવે 15.97 લાખ મતદારો રહેવા પામ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર