ગાંધીનગર, 14 જૂન 2025 :ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રૂષભ રૂપાણી આજે ગાંધીનગર સ્થિત તેમના પિતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પરિવારજનો અને સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે તેઓએ પિતાના આગમનને લઈને જરૂરી તૈયારીઓની સમીક્ષા કરી અને પત્રકારો સાથે વાતચીતમાં પરિવારની લાગણીઓ વ્યક્ત કરી.રૂષભ રૂપાણીએ પિતાની નીતિઓ અને યોગદાનને યાદ કરીને જણાવ્યું કે, “પિતાશ્રીનું જનસેવામાં સમર્પિત જીવન અમારાં માટે પ્રેરણારૂપ છે. આજે આ ઘડીમાં સમગ્ર ગુજરાતમાંથી મળતી લાગણીઓ અને સહાનુભૂતિએ અમને ગભરાવા દેતાં નથી, પણ વધુ જવાબદારીની ભાવના જગાવે છે.” વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને હાલ પરિવારજનો, નજીકના નેતાઓ અને સન્માનિત મહેમાનોનો પ્રવાહ ચાલુ છે. જો કે, પરિવાર તરફથી કોઈ સત્તાવાર કાર્યક્રમ કે જાહેર શોકસભા અંગે હજી સુધી જાણકારી આપવામાં આવી નથી.
વિજયભાઈ રૂપાણીના પુત્ર રૂષભ રૂપાણી ગાંધીનગર ખાતે નિવાસસ્થાને પહોંચ્યા
