શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલરસોડામાં રહેલા આ પાંચ મસાલા પેટને લગતી તેમજ અન્ય બિમારીમાં દરેક ઋતુમાં...

રસોડામાં રહેલા આ પાંચ મસાલા પેટને લગતી તેમજ અન્ય બિમારીમાં દરેક ઋતુમાં લાભકારક

(આઝાદ સંદેશ) : ઘણા લોકોને પેટને લગતી તકલીફ સતાવતી હોય છે. પેટમાં તકલીફ હોય તો તે શરીરના અન્ય અંગોને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં તમને રસોડામાં રહેલા પાંચ મસાલા મદદ કરી શકે છે. આપણા શરીરની 90 ટકા ઈમ્યૂનિટી પેટ સાથે આધારિત હોય છે. એટલે કે જો તમારુ પેટ ઠીક તો તમને કોઈ બીમારી પરેશાન કરી શકશે નહીં. પછી તે શરીરના કોઈ અંગ સાથે જ જોડાયેલી કેમ ન હોય. દરેક સીઝનમાં પેટને ઠીક કરી કઈ રીતે રાખશો તે વિશે જાણવું જરૂરી છે. ત્યારે તમારા રસોડામાં રહેલા કેટલાક એવા મસાલા છે જે તમારી મદદ કરી શકે છે.
તમાલપત્ર : તમાલપત્ર એક એવો મસાલો છે, જે તમે શરદી, ગરમી અને વરસાદની સીઝનમાં ઉપયોગ કરી શકો છો. તે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. બ્લડ પ્યૂરિફિકેશનનું કામ કરે છે. સાથે જ ભોજનનો સ્વાદ વધારે છે.
કેસર : આપણા દેશમાં કેસરનો ઉપયોગ મુખ્યત્વે ખીર અને અન્ય મીઠાઈઓ બનાવતી વખતે કરવામાં આવે છે. આ સિવાય દૂધમાં પણ ઘણીવાર કેસર ઉમેરીને પીવામાં આવે છે. કેસરનું ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. તે સૌથી મોંઘો મસાલો છે. પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેસરમાં કેન્સરથી બચાવનારા તત્વો હોય છે. કેસર યાદશક્તિ વધારે છે અને સ્કિનને ગ્લો કરે છે. પાચનશક્તિ સારી ન હોય તો તેની અસર સ્કિન પર પણ દેખાય છે. ત્યારે કેસરથી તમારુ પેટ તો ઠીક રહેશે જ સાથે જ ખીલ અને બ્લેક હેડ્સની સમસ્યા પણ દૂર થશે.
જાવંત્રી : જાવંત્રીમાં આયર્ન અને કોપર જેવા ગુણો હોય છે. તેના સેવનથી ન માત્ર આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે પરંતુ શરીરની ક્ષતિગ્રસ્ત કોશિકાઓ રીપેર થાય છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થવાથી દિવસભર ઉર્જાવાન અનુભવશે.
લવિંગ : લવિંગમાં એન્ટી વાયરસ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. દાળ-શાકભાજી-પુલાવ વગેરેમાં તેની સીમિત માત્રામાં સેવન કરવાથી શરીર માટે લાભદાયી છે. દૂધ અને ચામાં ઉમેરીને પણ લવિંગનું સેવન કરી શકો છો. જે રોગપ્રતિકાત્મક ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.
જાયફળ : જાયફળ પેટમાં ગેસ બનાવવાની સમસ્યાથી મુક્તિ અપાવે છે. પાચનતંત્ર ઠીક રહે છે. સીમિત માત્રામાં જાયફળના સેવનથી આંતરડા સાથે જોડાયેલી તકલીફનો સામનો કરવો પડતો નથી. કબજિયાતને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર