નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ-શો યોજાશે. રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો PM મોદીના સ્વાગત માટે ઉમટી પડશે. ત્યારબાદ Narendra Modi સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અને અનુષ્ઠાનમાં જોડાશે. કાર્યક્રમના અંતે સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભામાં PM મોદી જનતાને સંબોધન કરશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભારે તૈયારીઓ જોવા મળી રહી છે.


