લોકગાયક મીરાં આહીર દ્રારા વાયરલ કરાયેલા વીડિયોના આધારે, સિવીલ સુપ્રિટેન્ડન્ટ દ્રારા વર્ગ4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ગ4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નર્સિંગ સ્ટાફને શાબ્દિક ગેરવર્તન શિક્ષાત્મક પગલાં લેવા તાકિદ કરાઈ છે. RMO અને નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને આવો બનાવ ફરી ના બને તે માટે તાકિદ કરવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે. મહંત હરિગીરીજીની મુદત આજરોજ 31 તારીખના પૂર્ણ થઈ છે, આ મુદ્દે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આજરોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સાંભળવામાં આવશે, વહીવટદાર શાસન દરમ્યાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે. ભવનાથ ટ્રસ્ટ અંતર્ગત આવતા ભવનાથ મંદિર મુસકુંદ ગુફા પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે.