રવિવાર, જૂન 1, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતનાગેશ્વર મંદિર-ગોપી તળાવનું પરિવર્તન, હનુમાન દાંડી સુધી વાહનો લઈ જઈ શકાશે, ત્રણ...

નાગેશ્વર મંદિર-ગોપી તળાવનું પરિવર્તન, હનુમાન દાંડી સુધી વાહનો લઈ જઈ શકાશે, ત્રણ તબક્કામાં કોરિડોર બનાવાશે.

દ્વારકા, ગુજરાતની પ્રથમ રાજધાની અને ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ, સ્વર્ગનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ શહેર એ ચાર મઠમાંથી એક છે, જ્યાં ગુજરાત સરકાર કોરિડોર બનાવવા જઈ રહી છે. ભાસ્કર એક્સ્પ્લેનરમાં ત્રણ તબક્કામાં દેવભૂમિ દ્વારકા કોરિડોરની યોજના સમજો

તબક્કો 1: દ્વારકાધીશ જગત મંદિરથી રુક્મણી મંદિર સુધીનો વિકાસ કરાશે. આ તબક્કામાં 138 કરોડના ખર્ચે એક ખાસ વ્યૂઈંગ ગેલેરી બનશે, જેમાં જૂની દ્વારકા નગરીની ઝલક જોવા મળશે.

તબક્કો 2: બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીનો વિકાસ કરવામાં આવશે, જેમાં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય તેવું સ્ટ્રક્ચર બનાવાશે. શ્રદ્ધાળુઓને તડકામાં લાઈનમાં ન ઉભા રહેવું પડે તેવી વ્યવસ્થા કરાશે તેમજ બેટ દ્વારકાથી હનુમાન દંડી વાહનો લઈને જઈ શકાય એવી વ્યવસ્થા પણ કરાશે.

તબક્કો 3: નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ કરવામાં આવશે. આ બધા સ્થળોને જોડવામાં આવશે અને દેવભૂમિ દ્વારકા કોરિડોરના આકર્ષક સ્થળો બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર