રવિવાર, જૂન 1, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયપુલવામાના ત્રાલમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 2 જવાનો શહીદ

પુલવામાના ત્રાલમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 2 જવાનો શહીદ

જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે. જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ખીણમાં સેના એલર્ટ મોડ પર છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નાદિર ગામમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું. મોડી રાત સુધી ચાલેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન બાદ, દક્ષિણ કાશ્મીરના ત્રાલના નાદિર ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રો કહે છે કે 2 થી 3 આતંકવાદીઓ હવે સેનાના સકંજામાં ફસાઈ ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર