શુક્રવાર, જૂન 27, 2025

ઈ-પેપર

શુક્રવાર, જૂન 27, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકભવ્ય જળયાત્રામાં જગન્નાથજીનો સરસપુર વિહાર

ભવ્ય જળયાત્રામાં જગન્નાથજીનો સરસપુર વિહાર

આજના પૂનમના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 12 પવિત્ર યાત્રાઓમાંથી એક મહાત્મ્યસભર યાત્રા, જળયાત્રા, ભવ્ય રીતે યોજાઈ રહી છે. ભગવાન આજ રોજ પોતાના મોસાળ સરસપુર ખાતે પધારશે. આ ભવ્ય યાત્રામાં ભક્તિ અને પરંપરાનું સુમેળ જોવા મળ્યો છે.યાત્રાની વિશિષ્ટતા એ છે કે તે 600 ધ્વજપતાકાઓ સાથે શરૂ થઈ છે. યાત્રાનું આરંભ સાબરમતી નદીમાં ગંગાપૂજનથી થયો છે. ત્યારબાદ 108 કળશોમાંથી પવિત્ર જળ ભરી, મંદિર લાવવામાં આવ્યું અને ભવ્ય મહાજળાભિષેક કરવામાં આવ્યો.

જળયાત્રામાં સમગ્ર શહેરમાંથી ભક્તોએ ઉમટો ઉમટાવ્યો છે. 14 ગજરાજો, 108 પારંપારિક કળશો, તથા 1008 શ્રદ્ધાળુ મહિલાઓ યાત્રામાં જોડાઈ છે. ખાસ કરીને 10થી વધુ ભજન મંડળીઓના સુરમય ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.આમ તો યાત્રામાં રંગોની છટા છવાઈ ગઈ છે, જેમાં 501 લોકો વિવિધ રંગોની ધ્વજ અને ઝંડી સાથે જોડાયા છે. જ્યા

રે 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન માટે પ્રસાદ લાવશે.આ વિધાનયુક્ત યાત્રામાં ભગવાન જગન્નાથજી આજે ગણેશજીના રૂપમાં દર્શન આપી ભક્તોને આશીર્વાદ પાઠવી રહ્યા છે. ભક્તો માટે આ દિવસ ભક્તિ, આશિર્વાદ અને અનન્ય શ્રદ્ધાનો અવસર બની રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર