છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે સાંજે એક મોટો રેલ્વે અકસ્માત થયો. ગેવરા રોડ-બિલાસપુર મેમુ ટ્રેન જયરામ નગર નજીક એક માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે (SECR) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે અપ લાઇન પર ટ્રેનની અવરજવર ખોરવાઈ ગઈ છે. રેલ્વેએ ઘટનાસ્થળે તમામ સંસાધનો તૈનાત કરી દીધા છે અને ઘાયલોની સારવાર માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. હાલમાં અથડામણના કારણની તપાસ ચાલી રહી છે. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે.


