પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ એવોર્ડ જાહેર કરાયા. જેમાં ગુજરાતમાંથી પાંચ હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન મળ્યુ છે. ગુજરાતમાંથી ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીનું સન્માન મળ્યુ, અંગદાન અભિયાનના પ્રણેતા નિલેષ માંડલેવાલાને પદ્મશ્રી મળશે. જૂનાગઢના ઢોલકવાદક હાજીભાઈ મીરને પદ્મશ્રીનું સન્માન, કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મશ્રી એનાયત થશે. સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને પદ્મશ્રીનું સન્માન મળશે.
CM ભૂપેન્દ્ર પટેલની મહત્વની જાહેરાત, પાલિકાઓને જંત્રી વગર મફતમાં જમીન અપાશે
વાવ થરાદઃ CM ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં પાયાની સુવિધા ઉભી કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાઓને જંત્રી વગર મફતમાં જમીન અપાશે. સુવિધાઓ વિકસાવવા સરળતાથી જમીનો ફાળવવા નિર્ણય લેવાયો. પાલિકા વિસ્તારમાં 11 પ્રકારની સુવિધાઓ માટે જાહેરાત કરવામાં આવી. પાલિકા વિસ્તારમાં સુવિધાઓ માટે સરકારી જમીન ફાળવવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાં જાહેરાત કરી.


