મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી જેમાં ચાર લોકોનાં કરૂણ મોત થયા છે. મૃતકોમાં બે મેડિકલ ઓફિસર, એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
સુરતમાં ભેળસેળના કિસ્સાઓ ફરી વધતા જોવા મળી રહ્યા છે. ખટોદરાની જાણીતી સુરભી ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા મનપાએ લીધેલા સેમ્પલની તપાસમાં ગંભીર ખામીઓ સામે આવી છે.
તપાસ મુજબ પનીર દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટથી બનાવવામાં આવ્યું હતું તથા તેમાં હાનિકારક કેમિકલની હાજરી પણ જોવા મળી છે. આ મામલે મનપા દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


