અરબ સાગરમાં રહેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઇ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખુબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હજુ પણ નબળું જ પડતું જશે. દરિયામાં જ વાવાઝોડું વિખેરાઇ જશે અને ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બની જ આવશે. જેથી માત્ર સામાન્ય વરસાદની જ શકયતાઓ છે.