ભારતીય રેલ્વે 1 જુલાઈથી ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારો મુસાફરોના ખિસ્સા અને બુકિંગ સિસ્ટમ પર સીધી અસર કરશે. આ ઉપરાંત, 1 જુલાઈથી ATM માંથી રોકડ ઉપાડવા અને તત્કાલ ટિકિટ બુક કરવા જેવા નિયમો પણ બદલાઈ રહ્યા છે
ભારતીય રેલ્વે ૧ જુલાઈથી ટિકિટ ભાડામાં વધારો કરી શકે છે. નોન-એસી કોચ માટે ભાડામાં પ્રતિ કિલોમીટર ૧ પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો થઈ શકે છે. ટૂંકી મુસાફરીમાં આ વધારો નજીવો હોઈ શકે છે, પરંતુ લાંબા અંતરના મુસાફરોને અસર થઈ શકે છે.
ટિકિટ દલાલો પર કડક કાર્યવાહી કરવા અને પારદર્શિતા વધારવા માટે, IRCTC એ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી છે. 1 જુલાઈથી, ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. 15 જુલાઈથી ટિકિટ બુકિંગ દરમિયાન OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત છે. એજન્ટોને બુકિંગ શરૂ થયાના 30 મિનિટ પછી જ તત્કાલ ટિકિટ બુક કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે.